અમદાવાદ : સ્વીટી પટેલ ગુમ થવાના કેસની તપાસ ક્રાઇમ બ્રાંચે સંભાળી, પતિ છે શંકાના દાયરામાં

સ્વીટી પટેલ દોઢ મહિના ઉપરાંતથી ગુમ, ડીવાયએસપી ચુડાસમા હવે કરશે તપાસ.

New Update
અમદાવાદ : સ્વીટી પટેલ ગુમ થવાના કેસની તપાસ ક્રાઇમ બ્રાંચે સંભાળી, પતિ છે શંકાના દાયરામાં

વડોદરા જિલ્લાના એસઓજીના તત્કાલીન પીઆઈ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થઇ જવાના કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સંભાળી લીધી છે. ક્રાઇમ બ્રાંચના ડીવાયએસપી ડી.પી.ચુડાસમા તપાસ કરશે જયારે એટીએસની ટીમ ટેકનીકલ સપોર્ટ પુરો પાડશે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે અમને આ કેસની તપાસ સોંપવામાં આવી છે અને તપાસ અધિકારી તરીકે ડીવાયએસપી ડી.પી.ચુડાસમાની વરણી કરવામાં આવી છે. PI અજય દેસાઈના પત્ની ગુમ થવાના મામલે પોલીસને ભરૂચના દહેજ પાસે આવેલાં અટાલી ગામ નજીકથી શંકાસ્પદ માનવ અવશેષો મળ્યા હતા. બળેલાં હાડકાના અવશેષ તપાસ માટે એફએસએલમાં મોકલ્યા હતાં તેમજ તેનો DNA ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે.જો કે, FLS અને ડીએનએ રિપોર્ટ બાદ જ સત્ય હકીકત સામે આવશે પણ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર તપાસ હાથમાં લીધી છે.

અટાલીમાં જે હોટલની પાછળથી માનવ અવશેષો મળ્યાં છે તે જમીન કીરીટસિંહ જાડેજા તથા અન્ય ભાગીદારોની હોવાની વિગતો બહાર આવી છે. પીઆઇ અજય દેસાઇનું લોકેશન પણ અટાલી બતાવી રહયું હોવાથી સ્વીટી પટેલની હત્યા કરી મૃતદેહ સળગાવી દેવાયો હોવાની શકયતાઓ સેવાઇ રહી છે. વડોદરા ગ્રામ્ય પોલીસને તપાસમાં કઇ મહત્વની કડી મળતી ન હોવાથી આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. સમગ્ર કેસમાં એટીએસની ટીમ ટેકનીકલ સપોર્ટ પુરો પાડશે.

Read the Next Article

અમદાવાદ : અલકાયદા સાથે જોડાયેલા 4 શખ્સોની ગુજરાત ATSએ ધરપકડ કરી, AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર

ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.

New Update
  • ATSએ અલકાયદા સાથે જોડાયેલા શખ્સોની ધરપકડ

  • AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર

  • જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પણ કરતાં હતા પોસ્ટ

  • ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી

  • અમદાવાદ અને મોડાસાની 2 શખ્સોનો સમાવેશ

  • 2 શખ્સ દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું

ગુજરાતATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છેજ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.

અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલાAQIS (અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરનાર મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાનમોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસસેફુલ્લા કુરેશી મહમદ રફીક અને ઝીશાન અલી આસિફ અલીની ગુજરાતATSએ ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છેજ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનુંATSની તપાસમાં સામે આવ્યું છે. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. માત્ર એટલું જ નહીંતેઓ જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી આવી છે.

ગુજરાતATSએ ધરપકડ કર્યા બાદ અમદાવાદ અને મોડાસાના આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ અંગેATS DIG સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, ATSના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ગત તા. 10 જૂને 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અંગે માહિતી મળી હતી. જેમાં શરિયત યા શહાદતફરદીન 3મુજાહિદ્દ 1મુજાહિદ્દ 3 અને સેફુલ્લા મુજાહિદ્દ 313 આ 5 એકાઉન્ટ અંગે માહિત મળી હતી. આ 5 એકાઉન્ટ એ એક પ્રોસ્ક્રાઈબ ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝેશન છે. જે અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા. એટલું જ નહીંભારતીય યુવાઓને ધાર્મિક રીતે દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે ઉશ્કેરણી કરી રહ્યા હતા.