અમદાવાદ : રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સમગ્ર દેશમાં મોખરતું “ગુજરાત” રાજ્ય, રૂફટોપ સોલારને લોકોએ આપ્યું પ્રોત્સાહન

વર્તમાન બેન્ચમાર્ક ભાવો પર 1 kW સિસ્ટમ માટે રૂ. 30 હજાર સબસિડી, 2 kW સિસ્ટમ માટે રૂ. 60 હજાર અને 3 kW સિસ્ટમ માટે રૂ. 78 હજાર સબસિડી આપવામાં આવે છે

New Update

PM મોદી આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાત લેશે

મહાત્મા મંદિર ખાતે રેઇનવેસ્ટ-2024નો શુભારંભ કરાશે

નાગરિકો અને ઉદ્યોગસાહસિકો સરકારની પહેલમાં જોડાયા

રૂફટોપ સોલારને પ્રોત્સાહનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી

ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આવ્યું છે પરિવર્તન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમ્યાન તેઓ અમદાવાદ શહેરના મહાત્મા મંદિર ખાતે રેઇનવેસ્ટ-2024નો શુભારંભ કરાવશેતો ચાલો આપણે પણ ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આવી રહેલા પરિવર્તનના અહેવાલના સાક્ષી બનીએ...

ગુજરાતમાં લાખો ઘરો અને વ્યવસાયના સ્થળોએ વીજળી માટે રુફટોપ સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે. નાગરિકો અને ઉદ્યોગસાહસિકો આ ઇકો-ફ્રેન્ડલી પહેલમાં જોડાય તે માટે સરકાર તેમની સાથે છે. વર્તમાન બેન્ચમાર્ક ભાવો પર 1 kW સિસ્ટમ માટે રૂ. 30 હજાર સબસિડી2 kW સિસ્ટમ માટે રૂ. 60 હજાર અને 3 kW સિસ્ટમ માટે રૂ. 78 હજાર સબસિડી આપવામાં આવે છે. આ યોજનાના પગલે લોકોને તો આર્થિક ફાયદો થઈ જ રહ્યો છેપણ સાથે સાથે પર્યાવરણને પણ મોટો લાભ થઈ રહ્યો છે. લોકોને સૌથી મોટો ફાયદો એ છે કેવીજળીનું બિલ શૂન્ય થઈ ગયું છે. ઘરના તમામ સાધનો સૌર ઉર્જાથી ચાલી રહ્યા છે. એટલું જ નહીં લોકો હવે પોતાની EV કારને પણ સૌર ઉર્જાથી ચાર્જ કરી રહ્યા છે.

જોકેઆ સોલાર પેનલનું આયુષ્ય પણ 25 વર્ષ અને તેથી વધુ છે. તેથી તે લાંબા ગાળાનો ફાયદો છે. ઇન્સ્ટોલેશન પ્રક્રિયાને સરળ બનાવીટેકનિકલ સહાય પૂરી પાડી અને લાભો વિશે જાગૃતિ ઉભી કરીને ગુજરાત સરકારે રૂફટોપ સોલારને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ માટે સૌથી મોટો શ્રેય સરકારને જાય છે. કારણ કેગુજરાત સરકારે પ્રથમ પહેલ કરી હતીઅને સબસિડીની પ્રમોશનલ ઓફર આપી સરકારે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. જેના કારણે લોકોમાં જાગૃતિ પણ આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેરિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ગુજરાત દેશમાં દિશા-દર્શક કામ કરી રહ્યું છે. કેન્દ્ર અને ગુજરાત સરકારના આ પ્રયાસોમાં જનભાગીદારીના કારણે ગુજરાત આજે દેશમાં મોખરે છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.