અમદાવાદ: દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લીધી ગાંધી આશ્રમની મુલાકાત, બાપુને કર્યા નમન
દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અહી તેમણે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
BY Connect Gujarat14 Oct 2022 10:19 AM GMT
X
Connect Gujarat14 Oct 2022 10:19 AM GMT
દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અહી તેમણે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા અહીં તેઓ તેમના ધર્મપત્ની સાથે ગાંધી આશ્રમ પહોંચ્યા હતા જ્યાં બાપુને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી ત્યારબાદ તેઓએ ગાંધી આશ્રમ સ્થિત મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી અને ગાંધીજીના જીવન ચરિત્ર વિશે જાણકારી મેળવી હતી.સાથે જ હદયકુંજની પણ મુલાકાત કરી હતી અને ત્યારબાદ વિઝિટર બુકમાં આશ્રમની મુલાકાતના અનુભવ વિષે લખ્યું હતું ઉપરાષ્ટ્રપતિની સાથે ગાંધી આશ્રમના ટ્રસ્ટી અને અધિકારીઓ જોડાયા હતા આશ્રમ સંચાલકોએ ઉપરાષ્ટ્રપતિને પ્રતીક રૂપે રેટિયાની પ્રતિકૃતિ અર્પણ કરી હતી.
Next Story