અમદાવાદ : પાનામેક્સ ઈન્ફોટેક દ્વારા “વોકેથોન” યોજાય, 7 KMની વોકેથોનમાં કંપની કર્મચારીઓ જોડાયા...

આઇટી કંપની પાનામેક્સ ઈન્ફોટેક લિમિટેડ (બંકાઈ ગ્રુપ) દ્વારા કંપનીના કર્મચારીઓ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
અમદાવાદ : પાનામેક્સ ઈન્ફોટેક દ્વારા “વોકેથોન” યોજાય, 7 KMની વોકેથોનમાં કંપની કર્મચારીઓ જોડાયા...

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પાનામેક્સ ઈન્ફોટેક કંપની દ્વારા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકેથોનમાં કંપનીના 325 જેટલા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમદાવાદમાં શીલજ ખાતેની આઇટી કંપની પાનામેક્સ ઈન્ફોટેક લિમિટેડ (બંકાઈ ગ્રુપ) દ્વારા કંપનીના કર્મચારીઓ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભ સદન બ્લોક-Eથી 7 કિલોમીટર લાંબી વોકેથોન શરૂ થઈ હતી. આ વોકેથોનનું સ્ટાર્ટિંગ ઝુમ્બાથી કરવામાં આવ્યું હતું, પાનામેક્સ ઈન્ફોટેક દ્વારા યોજાયેલ આ વોકેથોનમાં કંપનીના 325 કર્મચારીઓએ ભાગ લઈને ખૂબ આનંદ માણ્યો હતો. આ પ્રસંગે ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ સચિન પુરી, ફાઉન્ડર અને સીઈઓ બંકિમ બ્રહ્મભટ્ટ તથા બંકાઈ ગ્રુપના ગ્લોબલ એચઆર હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ સચિન પુરી, અમી બ્રહ્મભટ્ટ, ડો. રાઘવેન્દ્ર હુનાસ્ગી, મોહિત રાવ સહીત કંપનીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.