Connect Gujarat
અમદાવાદ 

ભરૂચ : નવલા નોરતાના 9 દિવસ ઓસારાનું વિશ્વ શાંતિ શ્રી મહાકાળી મંદિર દર્શનાર્થે રહેશે ખુલ્લું

શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રીમાં નવદુર્ગા, અંબા, બહુચર, કાલિકાના પૂજા-અર્ચનાનું મહા પર્વ આગામી દિવસોમાં શારદીય નવરાત્રી આવી રહી છે.

ભરૂચ : નવલા નોરતાના 9 દિવસ ઓસારાનું વિશ્વ શાંતિ શ્રી મહાકાળી મંદિર દર્શનાર્થે રહેશે ખુલ્લું
X

ભરૂચ જિલ્લાના વિશ્વ શાંતિ શ્રી મહાકાળી મંદિર તપો ભૂમિ ઓસારા નવરાત્રિમાં 9 દિવસ ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવશે.

શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રીમાં નવદુર્ગા, અંબા, બહુચર, કાલિકાના પૂજા-અર્ચનાનું મહા પર્વ આગામી દિવસોમાં શારદીય નવરાત્રી આવી રહી છે. ભરૂચથી 15 કિલો મીટરના અંતરે આવેલ ઓસારા ગામે આવેલ વિશ્વશાંતિ મહાકાળી માતાજીનું મંદિર નવરાત્રીના 9 દિવસ માતાજીના દર્શન અર્થે ભાવિક ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે. જેનો સમય સવારે 7.30 કલાકથી 11 કલાક અને સાંજે 4 કલાકથી સાંજે 7 કલાક સુધી ખુલ્લું રાખવામાં આવશે. આ મંદિરની એક વિશિષ્ટતા એ છે જે માત્ર અઠવાડિયામાં એક જ વાર મંગળવારના દિવસે જ ખુલ્લું રહે છે, અને અહીંયા કોઈપણ જગ્યાએ રૂપિયા પૈસા મુકવામાં આવતા નથી. અહીંયા માત્ર તપને જ મહત્વ આપવામાં આવે છે.

Next Story