Connect Gujarat
અમદાવાદ 

ગુજરાત વિદ્યાપીઠને હાઇકોર્ટનો આદેશ, UGCએ આપેલા નિર્દેશોનું 8 સપ્તાહમાં પાલન કરો

ગુજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર એટલે કે ઉપ કુલપતિ ડૉ. રાજેન્દ્ર ખીમાણી ગત વર્ષે નવેમ્બર માસમાં તેમના પદ પરથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા હટાવવામાં આવ્યા હતા.

ગુજરાત વિદ્યાપીઠને હાઇકોર્ટનો આદેશ, UGCએ આપેલા નિર્દેશોનું 8 સપ્તાહમાં પાલન કરો
X

ગુજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર એટલે કે ઉપ કુલપતિ ડૉ. રાજેન્દ્ર ખીમાણી ગત વર્ષે નવેમ્બર માસમાં તેમના પદ પરથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા હટાવવામાં આવ્યા હતા. ત્યારે UGCના આ નિર્ણય સામે રાજેન્દ્ર ખીમાણી હાઇકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે રાજેન્દ્ર ખીમાણી આ અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે.હાઇકોર્ટે ગુજરાત વિદ્યાપીઠને UGCના નિર્દેશોનું પાલન કરવા આદેશ આપ્યો છે.

હાઇકોર્ટ જણાવ્યું કે, ગુજરાત વિદ્યાપીઠને 8 સપ્તાહમાં UGCના નિર્દેશોનું પાલન કરે.UGCએ ખીમાણી ને પદ પરથી હટાવવાનો નિર્દેશ કર્યો હતો.ઉપ કુલપતિ ડૉ. રાજેન્દ્ર ખીમાણી UGCના નિર્ણય સામે હાઇકોર્ટમાં રિટ કરી હતી. પરંતુ હાઇકોર્ટે તેની અરજી ફગાવી દેતા વિદ્યાપીઠને UGCના નિર્દેશોનું પાલન કરવાનો આદેશ આપી દીધો. યુજીસીના નિયમ મુજબ કોઈ વ્યક્તિ વાઇસ ચાન્સેલર લાયકાત ધરાવતા ન હોય તો તેને યુજીસી હટાવી શકે છે. આથી ગૂજરાત વિદ્યાપીઠને નિર્દેશ આપેલો કે રાજેન્દ્ર ખીમાણી ને હટાવવામાં આવે. જો કે આ નિર્દેશોનું પાલન વિદ્યાપીઠ દ્વારા કરવામાં નથી આવ્યું. આથી જો આ નિર્દેશોનું પાલન નહીં કરવામાં આવે તો ગૂજરાત વિદ્યાપીઠ ને મળતી ગ્રાન્ટ પર રોક લગાવવાની ફરજ પાડવામાં આવશે. વાઇસ ચાન્સેલર તરીકે તેઓ યોગ્ય લાયકાત ધરાવે છે.

UGC તેમને રજૂઆતની તક આપ્યા વગર જ એક તરફી નિર્ણય લીધેલો છે અને યુજીસીનો આ નિર્ણય અયોગ્ય છે આથી તેને રદ કરવામાં આવે. જ્યારે બીજી બાજુ ગૂજરાત વિદ્યાપીઠના વકીલની એ પણ રજૂઆત હતી કે ગુજરાત વિદ્યાપીઠ એ ડીમ્ડ યુનિવર્સિટી છે. આથી UGC પાસે વાઈસ ચાન્સેલરને હટાવવાની સત્તા નથી. આ તમામ પ્રક્રિયા બાદ જ અરજદારની વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Next Story