Connect Gujarat
અમદાવાદ 

ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ માટે અનેક મહાનુભાવો અમદાવાદ પહોંચ્યા, સચિન તેંડુકલરે કહ્યું કપ તો ભારત જ ઉઠાવશે

ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ માટે અનેક મહાનુભાવો અમદાવાદ પહોંચ્યા, સચિન તેંડુકલરે કહ્યું કપ તો ભારત જ ઉઠાવશે
X

આજે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર રમાવા જઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના મહાજંગને જોવા સૌ કોઈમાં આતુરતા છે. આજે 2 વાગ્યે મેચ રમાશે ત્યારે રાતથી જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાત્રે સ્ટેડિયમમાં પરફોર્મન્સ પ્રેક્ટિસ ચાલુ હતી. તો સ્ટેડિયમ બહાર લોકો રાષ્ટ્રધ્વજ સાથે ફોટો પડાવી રહ્યા હતા. આ સાથે જ મોટી સંખ્યામાં લોકો ભારતને સપોર્ટ કરવા માટે રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને રસ્તાઓ પર જોવા મળ્યાં હતા.

રાત્રે 12 વાગ્યા બાદ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ભરપૂર ટ્રાફિક જોવા મળ્યો હતો. ફ્લાઈટમાં આવનારા લોકો એરપોર્ટ પર ઈન્ડિયન ટીમની ટી-શર્ટ ખરીદતા નજરે ચડયા હતાં. આ સાથે જ AMC દ્વારા ફેરિયાઓને કચરો ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે.માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકર અને એક્ટર મનોજ જોશી પણ અમદાવાદ પહોંચી ગયા છે. આ સાથે ઉર્વશી રૌતેલા પણ ફાઈનલ જોવા માટે આવી પહોંચી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસનો એસ્કોર્ટ કાફલો પણ એરપોર્ટ ઉપર આવ્યો છે. ઈશા ફાઉન્ડેશનના સદગુરુ પણ અમદાવાદ પહોંચી ગયા છે.

Next Story