સાયબર ફ્રોડનો પર્દાફાશ..! : અમદાવાદમાં આધારકાર્ડમાં એડ્રેસ બદલી બેંક એકાઉન્ટ ખોલાવતી રાજસ્થાની ગેંગ ઝડપાઇ...

સાયબર ક્રાઇમની ટીમને માહિતી મળતા ચાંદખેડા વિસ્તારમાં આવેલી પાશ્વ રેસિડેન્સીમાં દરોડો પાડ્યો હતો. આ મકાનમાં પોલીસે મુખ્ય આરોપી સુરેશ બિશનોઇ સહિત અન્ય આરોપીઓ મળી આવ્યા

New Update
  • સાયબર ક્રાઇમ પોલીસને મળી મોટી સફળતા

  • રાજસ્થાની ગેંગના 11 સભ્યોની કરી ધરપકડ

  • આધારકાર્ડમાં એડ્રેસ બદલીને કરતાં હતા ફ્રોડ

  • બેંક એકાઉન્ટ ખોલવા માટે કરતાં હતા ઉપયોગ

  • ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરાતા હતા : સાયબર ક્રાઇમ

અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે આધારકાર્ડમાં એડ્રેસ બદલી ચાઈનીઝ ગેંગને મદદ કરી સાઇબર ફ્રોડ આચરતી ગેંગના 11 સભ્યોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને સાઇબર ફ્રોડ કરતી ગેંગના 11 સભ્યોને ઝડપી લેવામાં સફળતા મળી છે. સાયબર ક્રાઇમની ટીમને માહિતી મળતા ચાંદખેડા વિસ્તારમાં આવેલી પાશ્વ રેસિડેન્સીમાં દરોડો પાડ્યો હતો. આ મકાનમાં પોલીસે મુખ્ય આરોપી સુરેશ બિશનોઇ સહિત અન્ય આરોપીઓ મળી આવ્યા હતા.

ઉપરોક્ત મકાનમાં તપાસ કરતા ત્યાંથી 12 મોબાઈલ10 ડુપ્લીકેટ આધાર કાર્ડ અને 10 ઓરીજીનલ આધારકાર્ડ12 પાનકાર્ડ21 ચેકબુક10 પાસબુક15 સીમકાર્ડ તેમજ 43 એટીએમ1 ભાડાકરાર પણ મળી આવ્યા હતા. આરોપી રાકેશ બિશનોઈ પાસેથી એક પિસ્તોલ અને 7 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા.

આ સાથે જ મકાનમાં રહેતા સુરેશ તેમજ અન્ય લોકોની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કેમકાનમાં રહેનારા તમામ લોકો રાજસ્થાનના જોધપુરના આસપાસના વિસ્તારોમાંથી અમદાવાદ આવ્યા છેઅને તમામ લોકો અમદાવાદમાં આવી તેમના આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવી અમદાવાદ સહિત મહારાષ્ટ્રની અલગ અલગ બેન્કમાં એકાઉન્ટ ખોલાવતા હતા. આવી રીતે 26 બેંકમાં ખાતા ખોલાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ એકાઉન્ટ સાઇબર ફ્રોડમાં ઉપયોગ કરવા માટે ચાઈનીઝ ગેંગને ભાડે આપવામાં આવતા હોવાનો પણ ખુલાસો થયો છે. ટેક્નિકલ એનાલિસિસને આધારે સામે આવ્યું છે કેઆરોપીઓ દ્વારા ભારતના અલગ અલગ 21 જેટલા રાજ્યોમાં તેમણે એકાઉન્ટ ભાડે આપ્યા છે. જેને લઈને તેમના વિરુદ્ધ અત્યાર સુધીમાં ઓનલાઈન 109 જેટલી ફરિયાદો પણ મળી ચૂકી છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆધારકાર્ડને લગતી કામગીરી કરતું કોઈ વ્યક્તિ પણ સમગ્ર કેસમાં સામેલ હોવાની પોલીસને શક્યતા દેખાઈ રહી છે.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.