અમદાવાદ : મારી જાત પર જઇશ તો બધી ખબર પડી જશે, જુઓ AMCના અધિકારીની વાયરલ ઓડીયો કલીપ

New Update
અમદાવાદ : મારી જાત પર જઇશ તો બધી ખબર પડી જશે, જુઓ AMCના અધિકારીની વાયરલ ઓડીયો કલીપ

અમદાવાદ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડીરેકટર અને આકાશ સરકાર વચ્ચે ફોન પર થયેલી બોલાચાલીની ઓડીયો કલીપ હાલ વાયરલ થઇ રહી છે........

અમદાવાદ મહાનગરપાલિકામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડિરેક્ટર હર્ષદરાય સોલંકીનો એક ઓડિયો વાયરલ થયો છે.જેમાં મ્યુનિસિપલ અધિકારીએ ફરિયાદીને ફોન પર ધમકી આપી હોવાનો ઓડિયો ફરતો થયો છે. ફરિયાદી આકાશ સરકારે દાણીલીમડામાં ડ્રેનેજ લાઇનમાં મ્યુનિસીપલ કોર્પોરેશને ઔદ્યોગિક એકમોના કચરા નિકાલની લાઇનો જોડી દેતા કેમિકલયુક્ત પાણી ગટરમાંથી બેક મારતા રોગચાળો ફેલાવાની દહેશત વ્યક્ત કરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડિરેક્ટર હર્ષદરાય સોલંકીને તેનો નિકાલ લાવવા ફોન કર્યો હતો. ત્યારે ફરિયાદી અને અધિકારી વચ્ચે ફોન પરજ શાબ્દિક બહસ થાય છે ત્યારે અધિકારીએ ‘હું હર્ષદ સોલંકી છું, મારી જાત પર જઈશ તો બધી ખબર પડી જશે’ તેવી ધમકી આપતાં ફરિયાદી આકાશ સરકારે કહ્યું કે, ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરનાર આ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ નહિ કરાય તો સોમવારથી આમરણ ઉપવાસ કરશે. બીજી તરફ હર્ષદરાય સોલંકીએ કહ્યું કે, અમે બંને એક જ નાતના છીએ. મારે આ બાબતે ટિપ્પણી કરવી નથી.

Latest Stories
Read the Next Article

ઓપરેશન સિંધુ : ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા, ઈરાનથી 110 વિદ્યાર્થીઓ વહેલી સવારે દિલ્હી પહોંચ્યા

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે.

New Update
iran

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે. ભારતીય વિદ્યાર્થીઓને લઈને ઈરાનથી આવેલું વિમાન આજે વહેલી સવારે દિલ્હી પહોંચ્યું હતું. ઇરાનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓએ ઈરાનની પરિસ્થિતિનું વર્ણન કર્યું. આ બધા વિદ્યાર્થીઓ ઈરાનના ઉર્મિયાથી પાછા ફર્યા છે. બધા વિદ્યાર્થીઓ ઉર્મિયા યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આશા વ્યક્ત કરી કે, પરિસ્થિતિમાં સુધારો થશે અને તેમનો અભ્યાસ ફરી શરૂ થશે.

વાસ્તવમાં યુદ્ધગ્રસ્ત ઈરાનથી 100 વિદ્યાર્થીઓને આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા. આ પછી ગુરુવારે વહેલી સવારે તેમની ફ્લાઇટ દિલ્હીમાં ઉતરી. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે બોમ્બમારો ચાલુ છે. ઈરાન પર સતત મિસાઈલોથી હુમલો થઈ રહ્યો છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને તેહરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ 'ઓપરેશન સિંધુ' હેઠળ મંગળવારે 110 વિદ્યાર્થીઓએ આર્મેનિયાની સરહદ પાર કરી હતી.

Latest Stories