65 વર્ષિય વૃધ્ધાએ 7મા માળેથી લગાવી છલાંગ

Update: 2018-03-19 13:29 GMT

શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક નજીક આવેલ ચિત્રકુટનામના એપાર્ટમેન્ટના 7મા માળેથી 65 વર્ષિય મહિલાએ આપઘાત કર્યો છે. રાધિકા બેન માંકડિયા નામના 65 વર્ષિય મહિલાએ પોતાની બહેનની દિકરીના ઘરે જઈ એપાર્ટમેન્ટ પરથી છલાંગ લગાવતા તેમનુ જમિન પર પટકાતા મોત નિપજયુ હતુ. જે બાબતની કંટ્રોલને જાણ થતા યુનિવર્સિટી પોલિસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી પંચનામુ કર્યુ હતુ. જે બાદ લાશને શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામા આવ્યો હતો. કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા પિએસઆઈ કે.જી.વાઘોસીયા એ જણાવ્યુ હતુ કે કંટ્રોલ તરફથી અમને જાણ થતા અમો તથા સ્ટાફના માણસો અહિં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

હાલ જરૂરી કાર્યવાહી કરવામા આવી છે. તેમજ પરિવારજનોને પુછતા તેમણે મૃતકને બલ્ડ પ્રેશરની બિમારી હોવાનુ જણાવ્યુ હતુ. મૃતકનુ ઘર સાધુ વાસવાણી રોડ પર આવેલ છે જો કે તેઓ અહિ આવી તેમના સ્નેહીજનોને મળ્યા નહોતા. સ્નેહીજનોના જણાવ્યા મુજબ તેમને બનાવ બાદ ખ્યાલ આવ્યો હતો. જો કે સૌથી મહત્વનો સવાલ એ સામે આવી રહ્યો છે કે આખરે મૃતકને પોતાનુ ઘર છોડી અહિ આવવાની ફરજ શા માટે પડી. જેવી રીતે તેમના પુત્ર એ જણાવ્યુ કે તેમના માતા ને કોઈ તકલિફ નહોતી તેમજ ઘરમા કોઈ પણ જાતનો કજીયા કંકાસ નહોતો તો પછી આખરે શા માટે તેની માતાએ તેની બહેનના દિકરીના ઘરે જઈ આપઘાત કરવાની ફરજ પડી

 

Similar News