ભરૂચ : ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હલદરવા જેટકો વિભાગીય કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું

સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

Update: 2024-05-01 09:20 GMT

તા. 1લી મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચની પ્રવાહન વર્તુળ કચેરી તેમજ તેના તાબા હેઠળની કચેરીમાં “ક્લીન ભરૂચ જેટકો અભિયાન” અંતર્ગત હલદરવા વિભાગીય કચેરી ખાતે કાર્યપાલક ઇજનેર એ.પી.ભાભોરના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એમ.કે.શેખ, આર.એન.પીંગલે, એસ.કે.પ્રજાપતિ તથા અન્ય ઇજનેર સહિત ઓફિસ સ્ટાફ, લાઇન સ્ટાફ અને કંટ્રોલ રૂમ સ્ટાફ દ્વારા ઉત્સાહથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

Tags:    

Similar News