અમદાવાદ: છ મહાનગર પાલિકામાં ઉમેદવારોના ફોર્મની ચકાસણી પૂર્ણ, ઠેર ઠેર ઉમેદવારોના ફોર્મ થયા રદ્દ

Update: 2021-02-08 12:53 GMT

રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. જેની આજે ચકાસણી કરવામાં આવી હતી. ઉમેદવારોના ફોર્મની ચકાસણી તેઓની હાજરીમાં કરવામાં આવી હતી.

રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના ધમધમાટ વચ્ચે આજે મહાનગર પાલિકની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. અમદાવાદના સરદારનગર અને ઠક્કરનગર ઉમેદવારોના ફોર્મમાં ભૂલ આવતા લીગલ સેલના આગેવાનોએ દોડધામ શરુ કરી હતી. મળતી વિગતો અનુસાર કોંગ્રેસના દિનેશ પરમારના એફિડેવિટમાં ભૂલ આવતા તેમનું ફોર્મ અટવાયું હતું તો સાથે સરદારનગરના કોંગ્રેસના ઉમેદવાર દેવલ રાઠોડના ફોર્મ ટેકેદારની સહી બાકી રહેતા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો પરંતુ કોંગ્રેસ લીગલ સેલ તરફથી બને ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવા રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદમા દરિયાપુર અને શાહીબાગ માં ત્રણ ફોર્મ રદ્દ થયા છે જ્યારે જમાલપુર ખાડિયા વોર્ડના ભાજપ અને કોંગ્રેસના તમામ ફોર્મ માન્ય થયા છે.

Tags:    

Similar News