અમદાવાદ: કોરોના વોરિયર્સ પીઆઈના પુત્રે અનેક પડકારો છતાં પરીક્ષામાં મેળવી સફળતા

Update: 2020-06-09 08:37 GMT

અમદાવાદમાં અગ્રીમ હરોળના કોરોના વોરિયર્સના પુત્રએ પરીક્ષા સમયે અનેક પડકારો હતા તેમ છતા ઝળહળતી સફળતા મેળવી છે. પરીક્ષા સમયે સારવાર હેઠળ હોવા છતા પરિવારની હુંફ અને પ્રેરણાથી સારવાર દરમ્યાન ચડાવેલ બાટલાઓ પરીક્ષાના સમય પુરતા જ દુર કરીને મક્કમ મનોબળ દાખવી પરીક્ષાઓ આપીને ધ્રુવીન દવેએ  ઝળહળતી સફળતા પ્રાપ્ત કરીને ૯૮-૨૦ ટકા પરસેન્ટાઈલ મેળવી પરિવાર તેમજ તેમને શિક્ષણ આપનાર ટયુશન કલાસીસનું ગૌરવ વધાર્યું હતું.

વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રામોલ પોલિસ સ્ટેશનના પોલિસ ઈન્સપેકટર કે એસ દવેના વિદ્યાર્થી પુત્રએ કપરા સમયમાં પણ હામ રાખીને તે બીમારી સામે લડીને પણ અગ્રીમ હરોળમાં સ્થાન મેળવી બોર્ડમાં ઝળહળતી સિધ્ધી પ્રાપ્ત કરી.

Tags:    

Similar News