અંકલેશ્વરઃ તડીપાર કરાયેલા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

Update: 2018-08-16 09:35 GMT

અંકલેશ્વર શહેર પોલીસે તડીપાર કરાયેલ ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત પોલીસ સુત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેરના ભરૂચીનાકા વિસ્તારમાં રહેતા લાલ સોમાભાઈ વસાવાને ગત તારીખ-13/11/17 ના રોજ બે વર્ષ માટે તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન તડીપાર કરાયેલ ઈસમ હુકમનો ભંગ કરી પોતાના ઘરે ફરી રહ્યો હોવાની બાતમીને આધારે અંકલેશ્વર શહેર પીલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Similar News