અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સ્વચ્છતાનો સંદેશ પાઠવવા બેનરો લગાવાયા
અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગણપતિના મંડપની બહાર સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત જેવા સુત્રોચારમાં બેનરો લગાડવામાં આવ્યા હતા.
હાલ અંકલેશ્વર-ભરૂચમાં ગણેશ મહોત્સવની ઉજવણી ખૂબ ધૂમધામથી લોકો કરી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ગણેશજીના મંડપની બહાર સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત બેટી બચાવો પર્યાવરણ બચાવોના સુત્રો ભરૂચ જિલ્લાના યુવા મોરચા ભાજપના પ્રમુખ સુરેશભાઈના હસ્તે કરવામાં આવ્યા અને ગુજરાત હાઉસિંગના યુવાનોએ તેમને સાથ સહકાર આપી પ્રજાની વચ્ચે એક નવા વિચારનો સંચાર કર્યો હતો.