અંકલેશ્વરઃ લોભામણી સ્કીમના બહાને લોકો સાથે છેતરપિંડી કરનાર ઝડપાયો

Update: 2018-08-16 15:41 GMT

ગડખોલ વિસ્તારમાં વર્ષ 2016માં ઓફિસ ખોલી વિવિધ સ્કિમનાં નામે લોકો પાસેથી નાણા ઉઘરાવ્યા હતા.

અંકલેશ્વરમાં લોભામણી સ્કીમ આપી લોકો સાથે છેતરપીંડી કરનાર આરોપીની શહેર પોલીસે ધરપકડ કરી છે. આ અગાઉ પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વરમાં વર્ષ 2016માં ગડખોલ પાટીયા વિસ્તારમાં બદ્રી નારાયણ ઝા નામના શખ્તે એન્જલ ફાયનાન્સ નામની ઓફીસ ખોલી હતી. જેમાંથી વિવિધ લોભામણી સ્કીમ આપી લોકો પાસે રૂપિયા ઉઘરાવ્યા હતા. ત્યારબાદ ઓફીસ બંધ કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં ફરાર આરોપી બદ્રી નારાયણ ઝાની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલામાં અગાઉ ૩ આરોપીઓની ધરપડક કરી હતી. સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Tags:    

Similar News