ભરૂચ : મકાન માલિકો ભાડુઆતો પાસે એક મહિના સુધી ભાડુ નહિ માંગી શકે

Update: 2020-03-30 12:25 GMT

ભરૂચ જિલ્લામાં લોક ડાઉનનો અમલ થઇ રહયો છે ત્યારે કલેકટરે કેટલીક મહત્વની જાહેરાતો કરી છે. જેમાં ભાડાના મકાનોમાં રહેતા લોકો પાસે મકાન માલિકો એક મહિના સુધી ભાડુ માંગી શકશે નહિ.

ભરૂચ જિલ્લાના સમગ્ર મહેસુલી વિભાગમાં લોક ડાઉન અમલમાં છે. કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવા માટે સરકાર ખાનગી દાતાઓ અને સંસ્થાઓને દાનની અપીલ કરી છે ત્યારે ભરૂચ જિલ્લા કલેકટર એેમ.ડી.મોડીયાએ કેટલીક મહત્વની જાહેરાતો કરી છે. જેમાં ઉદ્યોગોના માલિકોને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે. તેમજ મકાન માલિકોને એક મહિના સુધી ભાડુઆતો પાસે ભાડુ નહિ માંગવા માટે વિનંતી કરી છે. દાન આપવા માંગતા લોકો અને સંસ્થાઓ માટે પણ કેટલીક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.

Similar News