અંકલેશ્વર: રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ દ્વારા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસનો કાર્યક્રમ યોજાયો.

ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ યોજાયો હતો.

Update: 2024-04-27 09:24 GMT

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ યોજાયો હતો.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર સંચાલિત રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોન હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ રામકૃષ્ણ આશ્રમ ભુજના અધ્યક્ષ પૂજ્ય સ્વામી સુખાનંદજી અને પૂજ્ય સ્વામી મેઘજાનંદજીએ શાળાના બાળકોને સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ અંગે માર્ગ દર્શન પૂરું પાડ્યું હતું.આ કાર્યક્રમમાં શુભશ્રી પિગમેન્ટસના શ્રી કે.શ્રીવત્સવ અને ગીતાબેન શુભશ્રી, ડૉ. હરેશ. શાહ અને આમંત્રિતો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News