ભરૂચ : ઝાડેશ્વરની રામવાટીકા સોસાયટી દ્વારા કલેકટરને રૂ.65,239નો ચેક અર્પણ કરાયો

Update: 2020-03-27 09:42 GMT

કોરોનાથી આખાય વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે અનેકો લોકો આ કપરી પરિસ્થિતિમાં સરકારને સહાય કરવા સામે આવ્યા છે. ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતે આવેલ રામવાટીકા કૉ-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી ઝાડેશ્વર તરફથી તારીખ 27 માર્ચના રોજ દેશમાં ચાલી રહેલી કોરોનાવાયરસ નામની જીવલેણ બીમારી સામે સરકાર તરફથી કોરોના મુક્ત ભારત બનાવવા ચાલી રહેલી ઝુંબેશમાં માન્યા મુખ્યમંત્રી રીલીફ ફંડમાં રામવાટીકા સોસાયટીના તમામ સભ્યો દ્વારા રૂપિયા 65,239 નું યોગદાન ભરૂચ જિલ્લા કલેકટરને કરવામાં આવ્યું હતું.

સોસાયટીના પ્રમુખ ડાહ્યાભાઈ આહીર ઉપપ્રમુખ રાજુભાઇ પટેલ, ઝાડેશ્વર ગામના સરપંચ અશોકભાઈ સોલંકી રાજકીય આગેવાન કૌશિકભાઈ પટેલ તથા રાજકીય આગેવાન મિતેશભાઇ પટેલની હાજરીમાં ચેક અર્પણ કરી સરકારને મહા સહાયરૂપ થવા પ્રયત્ન કર્યો હતો.

Tags:    

Similar News