ભરૂચ: આપના કેબિનેટ મંત્રી ગોપાલ રાયનો રોડ શો યોજાયો, ચૈતર વસાવાનો કર્યો પ્રચાર

લોકસભાની ચૂંટણી આગમી 7મી મેના રોજ યોજાનાર છે.

Update: 2024-04-30 10:40 GMT

લોકસભાની ચૂંટણી આગમી 7મી મેના રોજ યોજાનાર છે ત્યારે ભરુચ જિલ્લાના વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર તેજ બનાવ્યો છે.તેવામાં આજરોજ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા માટે દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી ગોપાલ રાયએ વાલિયાની સિલુડી ચોકડી ખાતેથી રોડ શો યોજાયો હતો.

જે રોડ શો સિલુડી ચોકડીથી એસટી ડેપો થઈ મુખ્ય બજાર ત્યાથી ગામના ચાર રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને મંત્રી ગોપાલ રાય,ચૈતર વસાવા અને સંદીપ માંગરોલા,અનિલ ભગત,વિજય વસાવા અને અનંત પંચાલ,સંજય વસાવા સહિતના આગેવાનોએ પુષ્પાંજલિ કરી ચૂંટણી પ્રચાર કર્યો હતો અને ત્યાંથી ઝઘડીયા,રાજપારડી,ઉમલ્લા થઈ નેત્રંગ ખાતે કોર્નર મિડિંગમાં રોડ શો ફેરવાયો હતો.

Similar News