ભરૂચ: ગરાસિયા સમાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા જમાદાર ફાર્મ હાઉસ ખાતે સંમેલન યોજાયું
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
ગરાસિયા સમાજ વેલ્ફેર ટ્રસ્ટ સમેલન યોજાયું
સમાજના ઉત્થાન માટે કરવામાં આવી ચર્ચા
ભરૂચના ગરાસિયા સમાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા જમાદાર ફાર્મ હાઉસ ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ ગરાસિયા સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના મહાનુભાવો હાજર રહ્યા હતા.સમાજના ઉત્થાન માટે શુ કરી શકાય એ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ પ્રસંગે આણંદ જિલ્લા કમિટીના પ્રમુખ રંજીતખાન રાણા તથા અજીતસિંહ વાઘેલા,ઉપપ્રમુખ રફીક રાણા,ખજાનચી અહમદ રાણા,મંત્રી કનુભા ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે એવોર્ડ મેળવનાર સાઇબરક્રાઇમના જમાદાર સોહેલ રાજનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.