ભાવનગર : ગાંધી કોલેજની વિદ્યાર્થીઓનીઓ લાકડીઓ સાથે ઉતરી આવી રસ્તા પર, જુઓ કેમ ?

Update: 2019-11-25 12:04 GMT

રાજયના શિક્ષણ વિભાગે SNDTની માન્યતાવાળી ડીગ્રીઓ ગેરલાયક ઠરાવતા

વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ભાવનગરમાં ગાંધી કોલેજની છાત્રાઓએ

શિક્ષણ વિભાગના પરિપત્રના વિરોધમાં એરપોર્ટ રોડ પર ચકકાજામ કરી દીધો હતો.

તાજેતરમાં શિક્ષણ સહાયક અને વિદ્યાસહાયકની ભરતીનાં ફોર્મ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યાં છે. જેમાં એસએનડીટીની માન્યતા પ્રાપ્ત ડિગ્રીવાળી વિદ્યાર્થીનીઓને તેમાં ગેરલાયક ઠેરવતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. શિક્ષણ વિભાગના પરિપત્રના વિરોધમાં ગાંધી કોલેજની વિદ્યાર્થીનીઓ રસ્તા પર ઉતરી આવી હતી. તેમણે એરપોર્ટ રોડ પર ચકકાજામ કરી દીધો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીનીઓને સમજાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

Tags:    

Similar News