બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા આયુષ્માન ખુરાનાના પિતાનું નિધન, ચંડીગઢમાં અંતિમ શ્વાસ લીધા

પી ખુરાના પંજાબના માહોલીના ફોર્ટિસ હોસ્પિટલમાં એડમિટ હતા અને છેલ્લા બે દિવસથી હ્રદય સંબંધિત બીમારીને કારણે હોસ્પિટલમાં એમનો ઈલાજ ચાલી રહ્યો હતો

Update: 2023-05-19 11:05 GMT

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા આયુષ્માન ખુરાનાના પિતાનું નિધન થયું છે. જાણીતા જ્યોતિષ પી ખુરાનાએ શુક્રવારે સવારે ચંડીગઢમાં અંતિમ શ્વાસ લીધા હતા. આજે સાંજે લાગભગ 5:30 વાગ્યે ચંડીગઢના મણિમાજરા શ્મશાન ઘાટમાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પી ખુરાના પંજાબના માહોલીના ફોર્ટિસ હોસ્પિટલમાં એડમિટ હતા અને છેલ્લા બે દિવસથી હ્રદય સંબંધિત બીમારીને કારણે હોસ્પિટલમાં એમનો ઈલાજ ચાલી રહ્યો હતો. આયુષ્માન ખુરાના તેના પિતાની ખૂબ નજીક હતો અને પિતા પી ખુરાના એ જ અભિનેતાના નામનો સ્પેલિંગ બદલ્યો હતો અને તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવા માટે કહ્યું હતું. પિતા જાણતા હતા કે પુત્ર આયુષ્માનનું કરિયર ઈન્ડસ્ટ્રીમાં ખાસ અને સફળ બનવાનું છે. આવી સ્થિતિમાં આયુષ્માન ખુરાનાએ તેના પિતાના આશીર્વાદ લઈને તેની ફિલ્મી સફર શરૂ કરી.

Tags:    

Similar News