ફિલ્મ 'રામાયણ' માં હવે આલિયા ભટ્ટ નજર નહીં આવે, જાણો એક્ટ્રેસે કયા કારણોસર છોડી ફિલ્મ, શું હવે રણબીર ભજવશે રામનું પત્ર?

આલિયા ભટ્ટ માતા સીતાના રોલમાં જોવા મળવાની હતી પરંતુ ફિલ્મનું શૂટિંગ શરૂ થવામાં હાલ ઘણો સમય બાકી છે.

Update: 2023-08-24 10:13 GMT

છેલ્લા ઘણા દિવસોથી ફિલ્મ રામાયણને લઈને માહોલ બનેલો છે. નિતેશ તિવારીની આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને રામ અને સીતાના રોલ માટે કાસ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ ચાહકોમાં ખૂબ ઉત્સાહ હતો. જોકે હવે આલિયા અને રણબીર કપૂરને જે લોકો સાથે આ ફિલ્મમાં જોવા માંગતા હતા તેમના માટે એક ખાસ સમાચાર છે. આલિયા ભટ્ટે આ ફિલ્મમાંથી પોતાને અલગ કરી દીધી છે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મમાં આલિયા ભટ્ટ માતા સીતાના રોલમાં જોવા મળવાની હતી પરંતુ ફિલ્મનું શૂટિંગ શરૂ થવામાં હાલ ઘણો સમય બાકી છે.

આ ફિલ્મના નાનામાં નાના એન્ગલ પર ઝીણવટપૂર્વક કામ કરવામાં આવી રહ્યુ છે જેથી મોટા પડદે દરેક ડિટેલ સારી જાય. આલિયા ભટ્ટની આગામી તમામ ડેટ બુક છે અને તેણે તેના અન્ય પ્રોજેક્ટ માટે પણ સમય કાઢવાનો છે. દરમિયાન આલિયા ભટ્ટે વ્યસ્ત શેડ્યૂલને જોતા આ ફિલ્મમાંથી પોતાને અલગ કરી દીધી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર રામના પાત્રમાં જોવા મળશે. આલિયા ભટ્ટના આ ફિલ્મમાંથી અલગ થવાના સમાચાર છે પરંતુ ફિલ્મમાં રણબીર કપૂરને લઈને હજુ આવી કોઈ ખબર સામે આવી નથી. બીજી તરફ આ ફિલ્મમાં રાવણના રોલમાં કેજીએફ સ્ટાર યશ જોવા મળવાના છે.

Tags:    

Similar News