દિવ્યાંકા ત્રિપાઠીને હરાવી અર્જુન બિજલાની ખતરો કે ખિલાડી શોનો વિનર બન્યો

Update: 2021-09-22 09:45 GMT

સ્ટંટ રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 11'ની ગ્રાન્ડ ફિનાલે 25-26 સપ્ટેમ્બરના રોજ થશે. ટોપ ફાઇવ સ્પર્ધકોએ 21 સપ્ટેમ્બરના રોજ મુંબઈની ફિલ્મસિટીમાં શૂટિંગ કર્યું હતું.

ફિનાલે પહેલાં જ વિનરનું નામ જાહેર થઈ ગયું છે. ટોપ ફાઇવમાં અર્જુન બિજલાની રાહુલ વૈદ્ય, વિશાલ આદિત્ય સિંહ, શ્વેતા તિવારી તથા દિવ્યાંકા ત્રિપાઠી હતા. ટોપ 2માં અર્જુન તથા દિવ્યાંકા હતા.


અંતે દિવ્યાંકા ફર્સ્ટ રનર અપ તથા અર્જુન વિનર બન્યો છે. અર્જુનની પત્ની નેહાએ સો.મીડિયામાં પતિને શો જીતવા બદલ શુભેચ્ઠા પાઠવી છે. આટલું જ નહીં અર્જુનના હાથમાં ટ્રોફી પણ જોવા મળે છે.

Tags:    

Similar News