ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 599 કોરોના કેસ નોંધાયા, 737 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

Update: 2022-08-14 17:23 GMT

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સ્વતંત્રતા દિવસ પહેલા સામાન્ય વધારો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 599 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 737 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.81 ટકા નોંધાયો છે. ત્યાં જ આજે કોરોનાથી એક દર્દીનું મોત નિપજ્યું છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10991 પર પહોંચી ગયો છે.


રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 173, મહેસાણા 60, વડોદરા કોર્પોરેશન 51, રાજકોટ કોર્પોરેશન 34, ગાંધીનગર 30, સુરત કોર્પોરેશન 23, વડોદરા 22, ગાંધીનગર કોર્પોરેશન 21, અમરેલી 17, સુરત 17, વલસાડ 17, કચ્છ 14, સાબરકાંઠા 14, પાટણ 11, પોરબંદર 10, ભરૂચ 9, રાજકોટ 9, અરવલ્લી 8, બનાસકાંઠા 8, આણંદ 6, મોરબી 6, નવસારી 6, દેવભૂમિ દ્વારકા 4, જામનગર કોર્પોરેશન 4, અમદાવાદ 3, દાહોદ 3, ગીર સોમનાથ 3, પંચમહાલ 3, તાપી 3, ભાવનગર કોર્પોરેશન 2, જામનગર 2, ખેડા 2, સુરેન્દ્રનગર 2, ભાવનગર 1, છોટા ઉદેપુરમાં 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 4066 એક્ટીવ કેસ છે જે પૈકી 22 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 4044 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,60,396 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 74,288 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,99,51,130 લોકોનું રસીકરણ થયું છે.

Tags:    

Similar News