PM મોદી આવતીકાલે સૌરાષ્ટ્રવાસીઓને ધરશે વિકાસ કાર્યોની ભેટ, PMના આગમન પૂર્વે તંત્ર સજ્જ...

Update: 2023-07-26 11:06 GMT

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સૌરાષ્ટ્રવાસીઓને વિવિધ વિકાસકાર્યોની ભેટ ધરશે, ત્યારે PM મોદીના આગમન પૂર્વે રાજ્ય સરકાર તેમજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ₹ 2033 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. જેમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના લિન્ક-3ના પેકેજ-8 અને 9નું PM મોદી લોકાર્પણ કરશે. વડાપ્રધાન ગ્રીનફીલ્ડ એરપોર્ટ પર ઉતરાણ કરશે, ત્યારબાદ રેસકોર્સમાં જનમેદની સંબોધન કરશે. 

નિર્માણ પામેલ એરપોર્ટના રન-વે અને ટર્મિનલ સહિતની કામગીરીનું વડાપ્રધાન નિરિક્ષણ કરશે. PM મોદી રેસકોર્સ મેદાનથી રાજકોટ મનપાના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ કરી જનતાને સમર્પિત કરશે. આ સાથે જ સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ બ્રિજ સહિત અનેકવિધ કામોની લોકોને ભેટ મળશે. 

ઉપરાંત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, લાયબ્રેરી, આરોગ્યકેન્દ્રની પણ જનતાને ભેટ ધરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ સહિતના મહાનુભવો વિશેષ ઉપસ્થિત રહેશે.

વિકાસ કાર્યો અને લોકાર્પણની તૈયારી પર એક નજર...

-₹ 1405 કરોડના ખર્ચે થયું રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ

-1500 એકરમાં એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એરપોર્ટનું નિર્માણ

-3.04 કિમી લાંબો અને 45 મીટર પહોળો રન-વે ધરાવે છે એરપોર્ટ

-23 હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે પેસેન્જર ટર્મિનલ

-એયરપોર્ટ પીક અવર્સમાં દર કલાકે 1280 મુસાફરોનું સંચાલન કરવા સક્ષમ

-એરબસ એ-380, બોઇંગ 747 જેવા મોટા કદના વિમાનોની મેળવી શકાશે સેવાઓ

-એરપોર્ટની ગેલેરી ગુજરાતના સમૃદ્ધ વારસા અને પરંપરાઓની ઝલક પૂરી પાડે છે

-રણજીત વિલાસ પેલેસ, દાંડિયા અને રાજ્યના લોકનૃત્યોની કલાથી શણગારવામાં આવી

-સૌરાષ્ટ્રની જીવાદોરી SAUNI યોજનાના બે પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત

-‘‘સૌની’’ યોજનાના લીંક 3ના પેકેજ-8 અને 9નું લોકાર્પણ

-સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારને સિંચાઈ માટે મળશે પાણી

-95 ગામના 98 હજારથી વધુ લોકોને મળશે પીવાના પાણીનો લાભ

-લિન્ક-3ના પેકેજ-8ની કામગીરી ₹ 264.96 કરોડના ખર્ચે સંપન્ન

-પેકેજ-8 દ્વારા 42,830 એકર વિસ્તારને સિંચાઈનો મળશે સીધો લાભ

-લિન્ક-3ના પેકેજ-9ની કામગીરી ₹ 128.71 કરોડના ખર્ચે સંપન્ન

-‘‘સૌની’’ યોજના થકી સૌરાષ્ટ્રની ધરા થઈ નવપલ્લવિત

-સૌરાષ્ટ્રના ધરતીપુત્રો ત્રણ સિઝન લેતા થયા

-અત્યારસુધીમાં 115 જળાશયોમાંથી 95 જળાશયો જોડાયા

-અંદાજે 6.50 લાખ એકર વિસ્તારમાં સિંચાઈનું મળી રહ્યું છે પાણી

-રાજકોટવાસીઓને મળશે ₹234.08 વિકાસકાર્યોની ભેટ

-સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ

-₹ 129.53 કરોડના ખર્ચે, 1.15 km લાંબા કે.કે.વી. બ્રિજનું નિર્માણ

-બ્રિજના લોકાર્પણથી કાલાવડ રોડ ટ્રાફિકની સમસ્યા હલ થશે

-ન્યારી-1 ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી 11km લાંબી પાઈપલાઈન નંખાઈ

-રૈયાધાર ખાતે ₹ 29.73 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ

-પ્રતિદિન 50 મિલિયન લીટર ટ્રીટમેન્ટ અને 30 લાખ લીટરની એલિવેટેડ સ્ટોરેજ ક્ષમતા

-વોર્ડ નં- 1,8,9,10 અને 13ની અંદાજે 2.40 લાખ વસ્તીને મળશે લાભ

-કોઠારિયામાં 15એમ.એલ.ડી. ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ

-₹ 24.72 કરોડના ખર્ચે નિર્મિત આ પ્લાન્ટથી 2 લાખ જેટલા રહેવાસીઓની થશે લાભ

-વડાપ્રધાન રાજકોટના વાચનપ્રેમીઓને આપશે લાયબ્રેરીની ભેટ

-ગોવિંદ બાગ પાસે ₹ 8.39 કરોડના ખર્ચે નિર્મિત અધ્યતન લાયબ્રેરીનું લોકાર્પણ

-33 હજાર પુસ્તકો, 200 મેગેઝીન્સ તથા 20 વર્તમાનપત્રો વાંચવા મળશે

-ટોય લાઇબ્રેરી, ડિજિટલ કન્ટેન્ટ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે મિનિ થિયેટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Tags:    

Similar News