રાજ્ય પોલીસ દળમાં વધુ એક વખત બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જેમાં રાજ્ય પોલીસ આલમમાં સેવા બજાવતા બીન હથિયારી વધુ 127 પીએસઆઇની બદલીના ઉચ્ચકક્ષાએથી આદેશ છુટ્યા છે. ગૃહ વિભાગ દ્વારા તમામ પીએસઆઇને બદલીની જગ્યાએ તાત્કાલિકા હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.
જામનગરના પીએસઆઇ એમ.પી.ચાવડા તથા દ્વારકાના રોશનબેન નૉઇડાની બદલી કરાઈ છે. જ્યારે રાજકોટના ભદ્રરાજસિંહ ઝાલા, સુરેન્દ્રનગરના કૃષ્ણસિંહ જાડેજા તથા બાર રોહન હમીરભાઈને જામનગરમાં ફરજ સોંપાઈ છે.