ચૂંટણીના પરિણામો પછી કોંગ્રેસ રાહુલ અને પ્રિયંકા જૂથમાં વહેંચાય જશે, પ્રિયંકાને ચૂંટણી ન લડાવવી એક ષડયંત્ર: આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

Update: 2024-05-05 04:24 GMT

રાયબરેલી લોકસભા સીટ પરથી પ્રિયંકા ગાંધીને ટિકિટ ન આપવી એ કોંગ્રેસના મોટા ષડયંત્રનો ભાગ છે. આનાથી પાર્ટી બે જૂથોમાં વહેંચાઈ જશે. કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે શનિવારે આ વાત કહી.કૃષ્ણમનો આરોપ છે કે પ્રિયંકા ગાંધી પાર્ટી અને પરિવારમાં ચાલી રહેલા ષડયંત્રનો શિકાર છે. "મેં પહેલેથી જ કહ્યું હતું કે રાહુલ ગાંધી પ્રિયંકાને ચૂંટણી લડવા દેશે નહીં. કૃષ્ણમે કહ્યું કે જો રાહુલ અમેઠીથી ચૂંટણી લડવા માગતા નહોતા, તો તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકતા હતા.

રાહુલ ગાંધી જે રીતે અમેઠી છોડ્યા તેનાથી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ નબળું પડી ગયું છે. પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી રહી નથી, તે હવે તેમના સમર્થકોના હૃદયમાં જ્વાળામુખીનું રૂપ લઈ રહી છે જે 4 જૂન પછી ફૂટશે. કોંગ્રેસ હવે રાહુલ અને પ્રિયંકા જૂથમાં વહેંચાઈ જશે.

મને લાગે છે કે રાહુલ ગાંધીએ રાયબરેલીને બદલે રાવલપિંડીથી ચૂંટણી લડવી જોઈએ, કારણ કે પાકિસ્તાનમાં તેમની લોકપ્રિયતા અને માગ વધી રહી છે.

સોનિયા ગાંધીએ રાયબરેલી સીટ છોડ્યા બાદ એવી ચર્ચા હતી કે પ્રિયંકા અહીંથી ચૂંટણીમાં પદાર્પણ કરી શકે છે. પરંતુ છેલ્લી ઘડીએ પાર્ટીએ રાહુલ ગાંધીને અહીંથી હટાવી દીધા. રાહુલ ભાજપના દિનેશ પ્રતાપ સિંહ સામે ચૂંટણી લડી રહ્યા છે. અમેઠીમાં પાર્ટીએ કેએલ શર્માને સ્મૃતિ ઈરાની સામે મેદાનમાં ઉતાર્યા છે.

Tags:    

Similar News