CAA પર ગૃહ મંત્રાલયનું મોટું નિવેદન, કહ્યું- ભારતીય મુસ્લિમોએ ગભરાવાની જરૂર નથી

Update: 2024-03-13 05:17 GMT

CAA પર અનેક શંકાઓથી ઘેરાયેલા મુસ્લિમ સમુદાયને ગૃહ મંત્રાલયે ચિંતા ન કરવાની અપીલ કરી છે. મંગળવારે મોડી સાંજે જાહેર કરાયેલા એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું છે કે મુસ્લિમોએ નાગરિકતા સંશોધન કાયદાથી ડરવું જોઈએ નહીં. ભારતીય મુસ્લિમોને આ કાયદા સાથે કોઈ લેવાદેવા નથી. તેમને હિંદુઓ જેટલો જ અધિકાર છે.

CAAને લઈને મુસ્લિમો અને વિદ્યાર્થીઓના એક વર્ગની આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કરતી વખતે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે CAA કાયદાના અમલીકરણ પછી, કોઈપણ ભારતીયને તેની નાગરિકતા સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ રજૂ કરવા માટે કહેવામાં આવશે નહીં.ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે CAAમાં એવી કોઈ જોગવાઈ નથી કે જે કોઈપણ ભારતીયની નાગરિકતા પર અસર કરે. ભારતમાં રહેતા 18 કરોડ ભારતીય મુસ્લિમો સાથે આનો કોઈ સંબંધ નથી, જેમને તેમના સમકક્ષ હિંદુ ભારતીય નાગરિકો જેવા જ અધિકારો છે. CAA કાયદામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે જોગવાઈઓ છે જેઓ 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતમાં આવ્યા છે અને અહીં ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ તરીકે રહે છે.

Tags:    

Similar News