કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અમરનાથની પવિત્ર ગુફામાંથી બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી છે. બરફનું શિવલિંગ લગભગ 8 ફૂટ ઊંચું છે.આ શિવલિંગનાં દર્શન અને પૂજા કરવા માટે દેશભરમાંથી લાખો ભક્તો અમરનાથ આવે છે. આ વખતે યાત્રા 29 જૂનથી શરૂ થશે જે લગભગ 52 દિવસ સુધી ચાલશે.
જે રક્ષાબંધનના દિવસે 29મી ઓગસ્ટે પૂર્ણ થશે.યાત્રા માટે રજિસ્ટ્રેશન 15મી એપ્રિલથી શરૂ થઈ ગયું છે. જરૂરી મેડિકલ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. 13 થી 70 વર્ષની વયના ભારતીયો અમરનાથ યાત્રા કરી શકે છે.