આંધ્રપ્રદેશના હરિકોટા ખાતે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતના સાતમા અને અંતિમ નેવિગેશન સેટેલાઇટ IRNSS-1Gનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાયું હતું.
આ નેવિગેશન સેટેલાઇટને તૈયાર કરવામાં 12 વર્ષ જેટલો સમયગાળો લાગ્યો છે. અગાઉ ISRO દ્વારા 6 નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ISROના વૈજ્ઞાનિકોને ધન્યવાદ આપ્યા હતા અને જણાવ્યું હતું કે આપણો માર્ગ આપણે જાતે જ નક્કી કરવાનો છે.