ભરૂચઃ કરાટે ડો ફેડરેશન દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓનો સન્માન સમારંભ યોજાશે

Update: 2018-09-06 13:39 GMT

આગામી 9 સપ્ટેમ્બરે પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આ કાર્યક્રમ યોજાશે

કરાટે ડો ફેડરેશન ગુજરાત દ્વારા રાજ્યનાં કરાટે પ્રતિભાશાળી ખેલાડીઓનો સન્માન સમારંભ ભરૂચ ખાતે યોજાવાનો છે. પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આગામી તારીખ 9 સપ્ટેમ્બર, 2018નાં રોજ રવિવારે યોજાનારા આ કાર્યક્રમમાં ઓલ ભરૂચ ડિસ્ટ્રીક્ટ કરાટે એસોસિએશન અને જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ પોતાનો સહયોગ પુરો પાડશે. કરાટે ડો ફેડરેશન એ ગુજરાતની કરાટે રમતની ગવર્નિંગ બોડી છે. અને રાજ્યનાં રમત ગમત વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ છે.

રાજ્યનાં સહકાર અને ખેલ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમમાં કરાટે ડો ફેડરેશન સાથે સંકળાયેલા અને વિવિધ સ્તરે મેડલ્સ પ્રાપ્ત કરી નામના મેળવનારા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. જેમાં કરાટે એસોશિએશન ઓફ ઈન્ડિયાનાં સેક્રેટરી ભરત શર્મા, ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલનાં ચેરમેન એમ.એસ. જોલી, ISSKAનાં પ્રમુખ બાબુભાઈ પટેલ, કરાટે ડો ફેડરેશનનાં પ્રમુખ વિજય ભટ્ટ, કરાટે ડો ફેડરેશનનાં જનરલ સેક્રેટરી કલ્પેશ મકવાણા, ISSKAનાં ગુજરાતનાં પ્રમુખ યોગેશ પારીક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે.

Tags:    

Similar News