કર્ણાટકના બાગાલકોટ જિલ્લાના મુધોલમાં નિરાની સુગર મીલ આવેલી છે. મીલમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટના સેફટી વાલ્વમાં બ્લોકેજ થવાના કારણે બોઈલર ફાટયું હતું. બોઈલર ફાટવાના કારણે ૬ કામદારોના મોત નિપજયાં છે જયારે પાંચ કામદારને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
વિસ્ફોટ દરમિયાન દરમિયાન કંપનીમાં સાત જેટલા મજુરો કામ કરી રહ્યા હતાં. મીલમાં બોઈલર ફાટવાની ઘટના રવિવારે સવારે બની હતી. બોઈલરના વિસ્ફોટના પગલે ખાંડની ફેકટરીની ઈમારત ધસી પડી હતી. આ ફેકટરી ભાજપના ધારાસભ્ય અને કર્ણાટકના પૂર્વમંત્રી મુરુગેશ નિરાની તેમજ તેમના બે ભાઈ સંગમેશ અને હનુમન્થાની માલિકીની છે.