શુકલતીર્થ ગામે આવેલ નર્મદા હાઈસ્કુલના વિદ્યાર્થીઓને કાનુની માહિતી આપતી શીબીર શ્રી મહામંડલેશ્વર ક્રિષ્ણાનંદનજી લો કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થી મોહંમદ શાકીર પટેલ, ઝુબેર પઠાણ, રચના સોલંકી, વિપુલ સોલંકી, સુકીયાન શેખ, આકીબ પટેકે શુકલતીર્થ ગામે આવેલ નર્મદા હાઈસ્કુલના વિદ્યાર્થીઓને કાયદાના વિવિધ પાસાઓની માહીતી આપી હતી.
જેમાં પોસ્કો કાયદો, મોટર વ્હીકલ એકટ, સાઈબર કાઈમ, માનવ અધિકાર, જુવેનાઈલ એકટ, ગ્રાહક સુરક્ષા અંગે વિધાર્થીઓને માહિતગાર કરેલા અને શાળા આચાર્ય અમીત વાસદીયા તથા શાળાના સ્ટાફે કાયદાની અંગે યોજાયેલ આ શીબીરમાં અંતે શાળાના બાળકોએ મુંઝવતા પ્રશ્નો પૂછી સંપૂર્ણ માહીતી મેળવી હતી.