સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકા નજીક આવેલા આડા ખોખરા ગામ પાસે આજે વહેલી સવારે 8 વાગ્યે કાર પલટી મારી ગઇ હતી.
અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ થયો છે. ચંદવાસના રહેવાસી મનહર ડામોર પોતાના સંબંધીના ઘરે ટોલડુંગરી ગામે ગયાં હતાં જયાંથી પરત ફરતી વેળા આડા ખોખરા પાસે વળાંકમાં તેમની કાર અચાનક પલટી મારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વળાંક બહુ જ ભયજનક છે. અકસ્માતના બનાવો રોકવા માટે આ સ્થળે સલામતીના પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.