વલસાડ : આદિજાતિ મંત્રીના હસ્તે ઉમરગામ તાલુકામાં રાહત સામગ્રીનું વિતરણ

Update: 2020-04-06 12:00 GMT

કોરોના વાયરસ સામે તકેદારી રાખવા લોકડાઉનની સ્‍થિતિમાં જરૂરીયાતમંદોને જીવનજરૂરિયાતની ચીજવસ્‍તુઓ મળી રહે તે માટે વહીવટીતંત્ર અને સેવાભાવી સંસ્‍થાઓ અવિરત સેવા કરી રહી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઝરોલી, નગવાસ અને ધનોલી ખાતે વન અને અદિજાતિ રાજયમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ અવસરે ઉમરગામ તાલુકાના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં આજદિન સુધી COVID-૧૯નો એકપણ પોઝીટીવ કેસ જોવા મળ્‍યો નથી.

Tags:    

Similar News