અંકલેશ્વર: દર્દીને હોસ્પિટલ પહોંચાડી ચાંદીના દાગીના અને ગાડી પોલીસ મથકે જમા કરાવી યુવાને પસરાવી માનવતાની મહેક

Update: 2019-06-19 09:56 GMT

અંકલેશ્વરના યુવાને એક અકસ્માતમાં ઘાયલ દર્દીને હોસ્પીટલ પહોંચાડી તેના સોના, ચાંદીના દાગીના અને ગાડી પોલીસ મથ્કે જમા કરાવી માનવતાની મહેક પ્રસરાવતો પ્રેરણાદાયી ઘટના બનવા પામી છે.

અંકલેશ્વરના ચૌટા બજાર થી લઈને ભરૂચી નાકા સુધીના રોડ વચ્ચે એક યુવાનનું બાઈકના સ્ટેરીંગ પર કાબુ ન રહેતા એક્સિડન્ટ થવા પામ્યું હતું. જેમાં યુવાન પોતાની એકટીવા ગાડી લઈને રોડ ઉપર જ પડી ગયો હતો. ત્યારે તેમની પાસે રાખેલ ચાંદીના દાગીના પણ રોડ ઉપર જ પડી ગયા હતા. આ ગંભીર હાલતમાં પડેલા યુવાનને અંકલેશ્વરના ઈમ્તિયાઝ મન્સૂરી તથા તેમના મમ્મી દ્વારા હોસ્પિટલ પહોંચાડી તથા રોડ ઉપર પડેલ ચાંદીના દાગીના અને એકટીવા ગાડી અંકલેશ્વર શહેર પોલીસ મથકે જમા કરાવી ઈમ્તિયાઝ મન્સૂરી નામના યુવાને માનવતા જીવે છે તેવું સાબિત કર્યું હતું અને માનવતાની મહેક પ્રસરાવી હતી અને બીજા લોકો પણ આવી જ રીતના લોકોની મદદ કરતા રહે તેવી યુવાને ઇચ્છા વ્યક્ત કરી હતી.

Similar News