અંકલેશ્વર નજીક હાઇવે ઉપર ટ્રક નીચે આવી જતા યુવકનું મોત

Update: 2018-05-19 11:27 GMT

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલા માંડવા ગામ પાસે એક ટ્રકનાં ચાલકે બાજુમાં ઉભેલી ટ્રકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકમાં સવાર યુવક રોડ પર પટકાતાં ટ્રકનાં ટાયરો તેના માથા ઉપર ફરી વળ્યા હતા. જેમાં તેનું મોત નિપજ્યું હતું.

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલા માંડવા ગામ નજીક ઉભેલી ટ્રકની પાછળનાં ભાગે અન્ય ટ્રકનાં ચાલકે ટ્રકને ગફલત ભરી રીતે હંકારીને ધડાકા ભેર અથાડીને અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે ઉભેલી ટ્રકમાં સવાર એઝાજખાન મુસ્તફા ખાન શેખ જે મૂળ મહેસાણાનો વતની હતો. તે રોડ ઉપર પટકાયો હતો. બાદમાં ટ્રકનાં તોતિંગ ટાયર તેમના માથા પરથી ફરી વળતા ગંભીર ઈજાના પગલે તેનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ છે.

Tags:    

Similar News