અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકેના લીધા શપથ

Update: 2016-08-08 05:07 GMT

[:gu]ગુજરાતના નવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શપથ વિધિ સમારંભ પૂર્ણ થઇ ગયો છે. આ શપથવિધિમાં અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલે પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના શપથ લેતા કાર્યકર્તાઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

તારીખ 7મી ઓગષ્ટની સવારે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને ભાજપ મોવડી મંડળ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેઓનો રાજય ના મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંગેના સંદેશા સોશ્યલ મીડિયા પર વહેતા થતા સ્થાનિક કાર્યકર્તાઓમાં ખુશીની લહેરકી વહેતી થઇ હતી.

ઈશ્વરસિંહ પટેલ ને રાજ્યપાલ ઓ.પી.કોહલી એ શપથ ગ્રહણ કરાવ્યા હતા.ઈશ્વર પટેલની ધારાસભ્ય તરીકેની આ ત્રીજી ટર્મ છે અને તેઓ અગાઉ રમત ગમત, યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં મંત્રી હતા અને હવે પુનઃએકવાર તેમને કયુ મંત્રીપદ ફાળવવામાં આવે છે તે જોવાનું રહ્યું. તેઓનો મંત્રી મંડળમાં સમાવેશ થતા તેઓના સમર્થકો અને કાર્યકર્તાઓનો ખુશીનો પાર રહ્યો ન હતો.[:]

Similar News