અંકલેશ્વરનાં રામ ગૃપે ઉતરાયણ પર્વની અનોખી રીતે કરી ઉજવણી

Update: 2018-01-13 13:37 GMT

અંકલેશ્વરમાં સેવાકીય પ્રવૃત્તિ થકી જાણીતા યુવાનોનાં રામ ગૃપ તેમજ સામાજીક ગૃપનાં સભ્યોએ મકરસંક્રાતિનાં દાન ધર્મનાં મહિમાને ખરા અર્થમાં સાકાર કર્યો હતો.

આ સેવાભાવિ યુવાનોએ જરૂરિયાતમંદ બાળકોને પતંગ, દોરી, બીસ્કીટ, રમકડા, સહિતની જરૂરી વસ્તુઓ નું નિઃશુલ્ક વિતરણ કરીને ઉતરાયણ પર્વની ઉજવણીની સાથે સેવાકીય ધર્મ નિભાવ્યો હતો.

Tags:    

Similar News