અંકલેશ્વર જીઆઈડીસીની વિઝન સ્કૂલ ખાતે નર્મદા એનર્જીનાં સહયોગથી સોલાર પાવર સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશ પટેલના હસ્તે વિઝન સ્કૂલમાં સોલાર સિસ્ટમની શુરુઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનાં ટ્રસ્ટી મનિષ આહુજાએ જણાવ્યુ હતુ કે શાળામાં સોલાર સિસ્ટમ કાર્યરત થતાં વીજ બિલમાં રાહત થશે.
વધુમાં કુદરતી રીતે મળેલ સ્ત્રોતનો ઉપયોગ કરીને કાર્બન રહિત ઉર્જાનો ઉપયોગ કરી શકાશે, અને આવનાર સમયમાં ભરૂચ જિલ્લાની અન્ય શાળાઓમાં પણ સોલાર સિસ્ટમ કાર્યરત કરવાનો લક્ષ્યાંક હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતુ.