અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલી મીરાનગર સોસાયટીના ભાડાના મકાનમાં ગેસ રીફીલીંગનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી જીઆઇડીસી પોલીસને મળી હતી. પોલીસે મકાન નંબર 384માં છાપો માર્યો હતો. આ મકાનમાં કુલદીપ બંસીલાલ ડીંડવાગીયા ભાડેથી રહે છે. તે એલપીજીના મોટા બોટલમાંથી ગેસને નાના બોટલોમાં રીફીલીંગની કામગીરી કરતો હતો.