અંક્લેશ્વર ને.હા.નં 8 પર રૂરલ પોલીસે વાહન ચાલકોને સતર્ક રહેવા અંગેના બોર્ડ લગાવ્યા
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 પર ટ્રક ચાલકોને મારમારીને લૂંટની બનતી ઘટનાઓને અટકાવવા માટે રૂરલ પોલીસ દ્વારા હાઇવે પર બોર્ડ લગાવવામાં આવ્યા છે.
આ બોર્ડ પર પોલીસે રાત્રી દરમિયાન આ જગ્યા પર વાહન ન રોકવા માટે જણાવવામાં આવ્યુ છે, તેમજ પેટ્રોલપંપ અથવા તો હોટલ પર વાહન રોકવા માટેની સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી છે.