અજય દેવગણ બનાવશે જસવંત ગિલ પર બાયોપિક ફિલ્મ

Update: 2017-06-21 06:08 GMT

અભિનેતા અજય દેવગણ અભિનવ શુક્લા સાથે જસવંત સિંહ ગિલના જીવન પરથી ફિલ્મ બનાવવા માટે કોલાબ્રેટ કર્યું છે, જસવંત સિંહ ગિલ એક ચીફ એન્જીનીયર હતા. જેમણે વેસ્ટ બંગાળમાં પોતાના જીવના જોખમે કોલસાની ખાણમાં ફસાયેલા ૬૪ મજૂરોનો જીવ બચાવ્યો હતો.

અજય દેવગણ આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે, આ પ્રોજેક્ટમાં અજયને રુસ્તમ ફેમ ટીનુ સુરેશ દેસાઈ પણ મદદ કરશે,આ ફિલ્મની સ્ક્રીપ્ટ પર હાલ કામ ચાલી રહ્યું છે, આ ફિલ્મ માટે મેકર્સ જે એસ ગિલના રાઈટસ લેવાની તૈયારી કરી રહ્યા છે. ૧૩ નવેમ્બર ૧૯૮૯માં વેસ્ટ બંગાળના મહાબીર કોલસાની ખાણમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા વોટર ટેબલની દીવાલમાં ક્રેક આવી ગઈ હતી અને ખાણમાં લગભગ ૨૨૦ મજૂરો ફસાયા હતા. જેમાં ૬ લોકોના મોત થયા હતા.

 

Similar News