આમોદ તાલુકાનાં સરભાણ ખાતે સ્વાઈન ફલૂ પ્રતિ રોધક ઉકાળાનું વિતરણ કરાયુ

Update: 2017-08-18 13:55 GMT

આમોદ તાલુકાનાં સરભાણ ગ્રામ પંચાયતની કચેરી ખાતે સ્વાઈન ફલૂ પ્રતિ રોધક ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ.

સરભાણ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી, સરભાણ ગ્રામ પંચાયતના સરપંચ તુષાર પટેલ, ભાજપના અગ્રણી અશોકભાઈ પટેલ, તેમજ ગામનાં અગેવાનોએ ઉપસ્થિત રહીને લોકોને વિના મુલ્યે સ્વાઈન ફલૂ થી રક્ષણ આપતા ઉકાળાનું વિતરણ કર્યુ હતુ.

Tags:    

Similar News