કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતા દિલ્હીની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
સોનિયા ગાંધીને ફૂડ પોઇઝનિંગ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
એસજીઆરએચ મેનેજમેન્ટ બોર્ડ અનુસાર પહેલાથી જ નિર્ધારિત યોજના અનુસાર સોનિયા ગાંધીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો હોવાનું જાણવા મળ્યુ છે.