ગુજરાત નું ગીર અભ્યારણ 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી બંધ કરવામાં આવશે. દર વર્ષે ચોમાસાના સમયે ગીર અભ્યારણ બંધ કરવામાં આવે છે. કારણ કે સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે આ સમય સંવનન માટેનો છે. બીજું એક કારણ આ પણ છે કે હમેસા સુખો જંગલ પસંદ કરતા સિંહ વરસાદ અને વરસાદી મછરો થી ત્રસ્ત થઇ હિંસક પણ બની જાય છે.
ગીર અભ્યારણ અધિકારીઓ એ મીડિયાને આપેલી માહિતી અનુસાર વન્ય પ્રાણીઓની સંવનન ક્રિયામાં કોઇ ખલેલ ન પહોંચે માટે દર વર્ષે થોડો સમય અભ્યારણ બંધ રાખવામાં આવે છે.