ચીખલીનાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ગાંધી તરીકે જાણીતા કાનજીબાપાએ ભાજપ સાથે છેડો ફાડયો
ચીખલીનાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપ માટે દક્ષિણ ગુજરાતનાં ગાંધી ગણાતા એવા કાનજીબાપાએ પક્ષ માંથી રાજીનામુ આપી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.
ચીખલીનાં પૂર્વ કેબિનેટ મંત્રી કાનજીબાપાએ ભાજપ માંથી રાજીનામુ આપવા પાછળનું કારણ ભાજપે તેઓનાં પુત્રને ગણદેવી વિધાનસભામાં ટિકિટ ન આપતા નારાજગી વ્યક્ત કરીને રાજીનામુ આપ્યુ હોવાનું જણાવ્યુ હતુ.