દંતેવાડા STF અને CRPFની સંયુક્ત કાર્યવાહીમાં આ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા
છત્તીસગઢના દંતેવાડામાં આજે ગુરુવારે વહેલી સવારે નક્સલીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ સર્જાયી હતી. બીજાપુર અને દંતેવાડા જિલ્લાની સીમા પાર નક્સલીઓ અને સીઆરપીએફની ટીમ વચ્ચે થયેલી અથડામણમાં 7 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઠાર મરાયેલાઓમાંથી 3 મહિલા નક્સલીઓનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે. નક્સલીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેના અને નક્સલીઓ વચ્ચેની આ અથડામણ તિમેનાર પહાડીના પાછળના વિસ્તારમાં થઈ હતી. દંતેવાડા એસટીએફ અને સીઆરપીએફની સંયુક્ત કાર્યવાહીમાં આ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે.